બનાસકાંઠા: અમીરગઢ ઈકબાલગઢની બજારોમાં પાકા બિલનો આભાવ: ગ્રાહકોને નથી મળતા પાકા બિલ.

Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ રાણા, અમીરગઢ

કેન્દ્ર તથા ગુજરાત સરકાર ગ્રાહકોને પાકા બીલો આપવામાં આવે તેવી દુકાનદારોને તથા વેપારીઓને અપીલ કરી રહી છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ મુખ્ય બજાર ઇકબાલગઢ તથા અમીરગઢની બીજારોમાં મોટેભાગના દુકાનદારો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. અમીરગઢ અને ઈકબાલગઢની બજારોમાં ગ્રાહકોને પાકા બિલને બદલે કાચું બિલ બનાવીને ગ્રાહકો પાસેથી મન ફાવે તેમ કિંમત વસૂલી રહ્યા છે. અમીરગઢ એક આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીંયા અભણ અને ભોળી ભાળી જનતાને કાચા બિલ આપી રહ્યા છે અને પોતાની ઈચ્છા મુજબ ભાવ લઈ રહ્યા છે આમ ભ્રષ્ટાચારમાં ભાગ ભજવતા દુકાનદારો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *