પંચમહાલ: શહેરા અનાજ કોભાંડ: ૧ કરોડ ૮૫ લાખના કૌભાંડની આશંકા: શહેરા મામલતદારે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી…

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

ગોડાઉન મેનેજર મુખ્ય આરોપી તેમજ અન્ય બે ઈસમોને શકદાર તરીકે ફરિયાદમા બતાવવામાં આવ્યા…

કાયદાકીય રીતે વસૂલવા પાત્ર રકમ 3 કરોડ 67 લાખ ઉપરાંતની હોવાની ફરિયાદમા ઉલ્લેખ..

૧ કરોડ ૮૫ લાખ થી વધુનું અનાજ કોભાંડ હોવાનું મામલતદાર મેહુલ ભરવાડએ જણાવ્યું

શહેરા મામલતદાર મેહુલ ભરવાડ અને જિલ્લા મામલતદાર પુરવઠા દેવળ દ્વારા શુક્રવારના રોજ શહેરા ના મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોદામો પર અચાનક છાપો માર ને ત્યાં રાખવામાં આવેલો સરકારી અનાજનો હાજર જથ્થો તપાસમાં આવ્યો હતો. બન્ને ગોડાઉનમાં થઈને ઘઉનો બંધ જથ્થો ગણી જોતા ૨૬,૫૩૦ બોરિઓની જગ્યાએ ૧૩,૪૦૩ બોરિઓનો હાજર જથ્થો મળી આવ્યો હતો,આમ ૧૩,૧૨૭ બોરીઓનો જથ્થો બારોબાર ગેરવલ્લે થયાનું ધ્યાને આવ્યું હતું. તેજ રીતે ચોખાનો બંધ જથ્થો ગણી જોતા ૧૧,૬૮૯ બોરીઓની જગ્યા એ ૧૦,૩૯૧ બોરીઓ નો હાજર જથ્થો મળી આવ્યો હતો.આમ ૧૨૯૮ ચોખાની બોરીઓની ઘટ સામે આવી હતી. ઘઉ અને ચોખાની આટલા મોટા જથ્થામાં બોરિયો બારોબાર ગેરવલ્લે કરવામાં આવી હોવાનું અનુમાન છે.જો ઘઉ અને ચોખાનીની ગેરવલ્લે થયેલ બોરીઓની કિંમત ગણવામાં આવે તો ૧ કરોડ ૮૫ લાખ ની થવા જઈ રહી છે. તેના કારણે રાજ્ય સરકારને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી રીતે જોઈએ તો વ્યવસ્થા તંત્ર ને અસ્તવ્યસ્ત કરવાનું સુનિયોજિત કાવતરું ગણી શકાય જે અનુસંધાન મા શનિવારના રોજ મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા પોલીસ મથક ખાતે પહોંચી સરકારી અનાજ ના ગોડાઉન ના ઇન્ચાર્જ મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત તેમજ ગોડાઉનમાં તપાસણી કરનાર સી.એ. ટીમ ના પ્રતિનિધિ ( વિજય તેવર એન્ડ કંપનીના વિશાલ શાહ રહે વડોદરા ) અને ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરીફ નુરુલ અમીન શેખ રહે તાલુકા પંચાયતન શહેરાની બાજુમાંની વિરુદ્ધમા ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કનૈયાલાલ નાગજીભાઈ રોત ઇન્ચાર્જ ગોડાઉન મેનેજરને મુખ્ય આરોપી અને બે ઇસમ અનુક્રમે વિશાલ અને આરીફને આ કોભાંડ મા શકદાર તરીકેનો ફરિયાદ નોંધણીમાં ઉલ્લેખ કરાયો છે. આ અનાજ કોભાંડમા એક સરકારી કર્મચારી આરોપી હોવાના કારણે ઇ પી કો કલમ ૪૨૦,૪૦૯,૧૨૦ (બી ) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ ૩,૭ મુજબનો ગુનો નોંધ્યો છે.

….. શહેરા અનાજ કોભાંડ …..

સામાન્ય ત; આવા કિસ્સામાં કે જ્યા સરકારી અનાજના ગોડાઉન આવેલા છે. તેની તપાસણી જિલ્લા મામલતદાર પુરવઠા દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ શહેરામા આનાથી એકદમ ઉલટી બિના બની કે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અનાજ કોભાંડ બહાર લાવવામાં આવ્યુ છે.

શહેરા સરકારી અનાજના ગોડાઉનમા તારીખ 27/1/21 ના રોજ જિલ્લા મામલતદાર પુરવઠા દ્વારા ઓડિટ કરવામાં આવેલ હતું. તેમાં સ્ટોક બરાબર હતો. પરંતુ શહેરા મામલતદાર દ્વારા તપાસ કરતા આટલા મોટી માત્ર મા ઘઉ અને ચોખામા ઘટ મળી આવી હતી.તો શું હવે આ કિસ્સા માં કોણ સાહુકાર અને કોણ ચોર ! જિલ્લા પુરવઠા મામલતદાર સાચા કે પછી સરકારી અનાજના ગોડાઉન ના ઇન્ચાર્જ મેનેજર સાચા હાલના તબક્કે તો સરકારી અનાજ ગોડાઉનના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર પોતે શાહુકાર હોવાનું જણાવે છે અને ટેકનિકલ ખામીના કારણે થયું હોવાનું રટણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *