નર્મદા: રાજપીપળા દરબાર રોડ પર બપોરે એક ટાઈમ વધારાનું પાણી ચૂંટણી પૂર્વેની લોલીપોપ સમાન…

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

રાજપીપળા શહેરમાં પીવાના પાણીની તકલીફ ઘણા વિસ્તારમાં વર્ષો થી જોવા મળે છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોય મતદારોને રીઝવવા દરબાર રોડ પર વર્ષો થી ત્રણ ટાઈમ આવતું પાણી હાલમાં ચાર ટાઈમ કરવામાં આવ્યું છે. જોકે આ ચારેય સમય મળતું પાણી ઓછા પ્રેસર થી આવતું હોવાથી પહેલા માળે રહેતા લોકોને પીવાનું પાણી પહોંચતું નથી અને આ બુમ છેલ્લા એક વર્ષ થી હોવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી, ફક્ત નીચે રહેતા લોકો માટે પાણી અપાતું હોય એમ જણાઈ છે. જોકે લાઈબ્રેરી બોર ચાલુ થયા બાદ બીજા માળ સુધી પાણી મળતું હતું જે કોઈક કારણોસર એક વર્ષથી પ્રેસર ઓછું આવતા હવે પહેલા માળ પર પણ ચઢતું નથી માટે મતદારોને રીઝવવા હાલમાં ચાર ટાઈમ પાણી અપાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અને ચૂંટણી પૂર્વેની આ લોલીપોપ હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.

જોકે અનુભવીઓ નું માનવું છે કે દિવસમાં પાણી વધારે વખત આપવા કરતા બે ટાઈમ બરાબર ફોર્સ થી પાણી અપાઈ તો સમસ્યા હલ થશે બાકી ચાર વખત પાણી આપી માત્ર પાલિકાનું લાઈટ બિલ જ વધશે અને અમુક લોકો પાણીનો બગાડ કરશે. આમ પણ પાલિકાનું કરોડો રૂપિયા લાઈટ બીલ બાકી છે જેમાં વીજ કંપનીએ ઘણી વખત નોટિસ પણ આપી હતી માટે બોર વધુ વખત ચાલુ કરવા કરતાં બે ત્રણ સમય પૂરતા પ્રેસર થી પાણી અપાઈ તો તકલીફનો અંત જરૂર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *