જૂનાગઢ: માંગરોળ માનખેત્રા ગામે 40 ફૂટ ઉંડા કુવામાં પડેલ બિલાડીનું રેસ્ક્યુ કરાયું.

Junagadh
રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ

માંગરોળ માનખેત્રા ગામે સંજીવની ગ્રૂપના સાહસીક યુવાનોએ 40 ફુટના ઉંડા કુવામાં બીલાડીનું રેશ્ક્યુ કરી બીલાડીને બચાવી લેવાઇ હતી આ બીલાડી શિકારની શોધમાં કુવામાં પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. માંગરોળના માનખેત્રા ગામે એક 40 ફુટ ઉંડા કુવામાં બીલાડી પડી હોવાની ખેડુતએ સંજીવની નેચરને જાણ કરતાં સંજીવની નેચરલના સાહસીક યુવાનોએ કુવામાંથી રેશ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી સંજીવની નેચરના આ યુવાનો જીવદયા તેમજ પર્યાવરણ બચાવોની ની:સ્વાર્થ ભાવે કોઇ પણ ચાર્જ વીના સેવા કરી રહયા છે અને પોતાના જીવના જોખમે અન્ય જીવોને બચાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *