મોરબી: હળવદનો યુવાન દુકાનેથી ઉઘરાણી કરવાનું કહીને ધરેથી ગાયબ..

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદનો રહેવાસી યુવાન દુકાનેથી ઉઘરાણીએ જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયો હોય જે બનાવ મામલે તેના ભાઈએ પોલીસને બનાવની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાણેકપર રોડ પર આનંદ બંગલોમાં રહેતા અશ્વિન નરશીભાઈ પટેલે પોલીસને જણાવ્યું છે કે તેનો ભાઈ મનોજ નરશી પટેલ (ઉ.વ.૩૦) રહે ક્રિષ્નાપાર્ક હળવદ વાળો સરા નાકા નજીક રામદૂત ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતા હોય તે દુકાનથી બીજી દુકાનોમાં પૈસાની ઉઘરાણી કરવાનું કહીને ગયા બાદ પરત આવ્યો ન હોય જે ગુમ થયા અંગે પોલીસને જાણ કરી છે તો હળવદ પોલીસે યુવાન ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *