ભાજપે ઉજવ્યો ‘સમર્પણ દિવસ’ : વડોદરા જિલ્લા ભાજપ પાર્ટીના તમામ ઉમેદવારોએ પ્રજાના કાર્યો કરવાનો લીધો સંકલ્પ..

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય માહોલ જામ્યો છે, ત્યારે ગતરોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ભાજપ દ્વારા ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા જિલ્લાના વરણામાના ત્રીમંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં એકત્રિત થયા હતા.જેમાં સી.આર.પાટીલ લાઈવ ઉપસ્થિત રહી સૌ કાયૅકરો, ભાવી ઉમેદવારો- સંગઠનના આગેવાનોવ પાસે પ્રજાલક્ષી કામો કરવાની તેમજ જો પક્ષ ટિકિટ ન આપે તો પણ પાર્ટીથી નારાજ થઈશ નહીં અને પાર્ટી સાથે રહી પાર્ટીનું જ કામ કરીશું તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. એક તરફ મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ઝાઝા દિવસો બાકી હોય ત્યારે રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો જામ્યો હતો.સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ચૂંટણી લડવા માટેના ઇચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *