ડભોઇ: અમરેશ્વરના રણછોડજી મંદિર ખાતે શાકોત્સવ ભગવાનનો અભિષેક અને પાટોત્સવનું આયોજન..

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

શ્રી રણછોડરાય મંદિર અમરેશ્વર ખાતે દિવ્ય શાકોત્સવ,ભગવાનનો અભિષેક અને પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પર્વકુમાર કૌશિકભાઈ પટેલ અને મહેન્દ્ર દેવજીભાઈ પટેલ અમરેશ્વર (હાલ USA) ના યજમાન પદે અને શાસ્ત્રી સ્વામી શ્રી સંત વલ્લભદાસ (વડતાલ) ના માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર આયોજન થયું હતું. જેમાં સત્સંગ મહાસભા વડતાલના અને અખિલ ભારતીય સંત સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ પ.પુ.શા.સ્વામી શ્રી નૌતમપ્રકાશદાસજીની સુંદર વાણીએ કથાવાર્તા કરવામાં આવી હતી. ઉપરાંત વડતાલ દેશથી પૂ.શા.સ્વામી શ્રી સૂર્યપ્રકાશદાસજી , સ્વામિનારાયણ મંદિર ડભોઈના મહંત પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી અને કલાલી મંદિરના મહંત શ્રી પવન સ્વામી પણ હાજર રહી તેમની દિવ્ય વાણીનો લાભ આપ્યો હતો. સૌ હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણના સ્મરણો અને કિતૅનોની યાદ અપાવી હતી. અને સૌ ભક્તોને નિત્ય નિયમ પ્રમાણે પ્રભુની પ્રાર્થના અટૂટ કરવી જોઈએ તેમજ વડતાલ દેશ ના વિવિધ સંતો સહિત પરીખા,ડભોઈ,વડજ, સિમડિયા,પંચેશ્વર, તેનતળાવ,માલપુર,ભાટપુર, ટીબરવા ઉપરાંત અનેક ગામના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *