રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરમાં સવારથી લોકો ભરપૂર માત્રામાં ખરીદી કરવા આવતા હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બહુ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉના શહેર તરફ આવતા હોય છે. તેમાં સરકારશ્રીએ પોતાના માદરે વતન આવવાની છૂટ આપતા તેઓ ઉના તાલુકામાં આવેલા ગામડાઓમાં આવી રહ્યા છે. તેને લઈને તંત્ર પણ અલર્ટ છે ત્યારે ઉના શહેરના બજારોમાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય એ અનિવાર્ય જણાય છે. કોરોનાનો કહેર ઉના તરફ ન વર્ષે તેની પૂરતી તકેદારી પણ વેપારી વર્ગને રાખવી જોઈએ અને જાહેરનામાને પૂરેપૂરું અમલવારી પણ કરાવી જોઈએ. ગ્રાહકને સોશ્યિલ ડિસ્ટન્સ કરાવવું, પણ અહીં તો પોતે જ દુકાનદાર જાહેરનામાનો ભંગ કરતા અમુક વેપારીઓ જોવા મળ્યા છે. આવું જ રહ્યું તો ઉના શહેરની અંદર કોરોના વાયરસ ફેલાતા વાર નહિ લાગે.
તેને લઈને આવા દુકાનદારો પણ આકરી કાર્યવાહી કરી અને જાહેરનામાનો ભંગ બદલ પગલાં ભરવા જોઇએ, તેવી લોકોની માગણી છે.
પળે…પળ… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/Eu06nBNR3eQ6ggfgvIfTVH