મહીસાગર: ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવેલ કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ગ્રામજનોને કોરોનાવાયરસનાં સંક્રમણ થી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને ડોક્ટર એસ બી શાહ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંદરા ના મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ શેઠ તથા હેલ્થ વર્કર ઉંદરા પી.એચ.સી દ્વારા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો પીવડાવવાની કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલ કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં આવેલ ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળના કોલવાણ ગરીયા છાપરી મુવાડા ગામે આયુષની ગાઇડલાઇન અનુસાર કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં આયુર્વેદિક ઉકાળો તૈયાર કરી ગ્રામજનોને પીવડાવવામાં આવ્યો છે. જેના થકી આ વિસ્તારના ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોનાવાયરસ સામે સુરક્ષિત રાખી શકાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *