કાલોલ તાલુકાના કરાડા ગામના આર્મીમેન નિવૃત્ત થઇ ઘરે પરત ફરતા ગ્રામજનો તથા મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું.

Kalol Latest

કાલોલ તાલુકાના નાનકડા ગામ કરાડાના જયેશભાઈ ગણપતસિંહ સોલંકી જયાં એક સમયે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી તેવા સંજોગોમાં ભણીને દેશની રક્ષા કાજે ઘર, વતન, અને વતનની માટી પ્રકૃતિને છોડી,વતનપ્રેમી છોડી દેશપ્રેમી બની રાષ્ટ્ર માટે અને દેશ માટે સતત બોર્ડર ૧૬ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતા ચંદીગઢ થી વતન ફરતા ગામનાં તેમજ સરપંચો આજુબાજુના યુવાધન અને વડીલોએ સ્વાગત કર્યું હતું. આ નિમિતે યુવા સાહિત્યકાર કવિ, લેખક, સામાજિક કાર્યકર વિજય વણકર “પ્રીત” અને આઇ ટી શિક્ષણવિદ સંજય જાદવે બન્ને મિત્રો એ સાલ, અને પુષ્પગુછ થી સ્વાગત કરી તેમનુ સન્માન કર્યું હતું. જે બાદ સલામી આપી છુટા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *