જૂનાગઢ જિલ્લાના માંગરોળ શિફા હોસ્પિટલ ખાતે આંખના મોતીયાનું ફ્રી નિદાન કેમ્પ અને ફ્રી ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું.

Junagadh Latest
રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળની શિફા હોસ્પિટલ ખાતે શિફા હોસ્પિટલ અને ધ ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી આર્થિક રીતે મધ્યમ વર્ગના લોકો માટે આંખના મોતીયાનું ફ્રી નિદાન કેમ્પ અને ફ્રી ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં અમદાવાદના આંખના સર્જન ડોક્ટર ધવલ રાજપરાએ તેમની ટીમ સાથે સેવા આપી હતી, આ કેમ્પમાં આંખના મોતિયાનાં ઓપરેશનના જરૂરતમંદ દર્દીઓને ફેકો પદ્ધતિ દ્વારા ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું. શિફા હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ૪૦ જેટલા દર્દીઓનું ફેકો પદ્ધતિ દ્વારા આંખનો ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી. ઓપરેશન બાદ દર્દીઓએ શિફા હોસ્પિટલ અને ધ ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટનો આભાર માન્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *