રાજપીપળાના ભાટવાડાના 60-70 ઘરોમાં અપુરતા પાણીની ઘણા સમયની ફરિયાદનો ઉકેલ ન આવતાં રહીશો વિફર્યા..

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા

ચૂંટણીની જાહેરાત થતાંજ ચુંટણી લક્ષી બનાવોની પણ હવે શરૂઆત થઈ ચુકી છે, લોકોમાં રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો સામે પાંચ વર્ષ થી ધગધગી રહેલો રોષ હવે ધીમે ધીમે બાહર આવી રહ્યો છે.

તા.26/01/21 ના રાજપીપળા ભાટવાડા વિસ્તારમા પાણીની સમસ્યાને લઈને પુર્વ પાલિકા પ્રમુખ જીગીષાબેનના નિવાસ સ્થાને રહીશો આ બાબતે રજુઆત કરવા પહોંચ્યા હતા. રહીશો એ છેલ્લાં 15 દિવસથી પાણીની સમસ્યા છે અને તે ક્યારે હલ થશે ની પૃચ્છા કરતાં ભારે શોર બકોર વચ્ચે સામ સામે આક્ષેપોનો મારો ચાલ્યો હતો. આ સમગ્ર ઘટનાનો કોઈ એ વિડીયો શુટ કરી વાયરલ કરી દેતાં નગરજનો મા આ વિડીયો બાબતે ભારે ચર્ચા જામી હતી. નગરપાલિકાની ચુંટણી માથે હોઈ ને એક બિજાના રાજકીય વિરોધીઓ હવે મેદાને પડ્યા છે. અને પાછલાં પાંચ વર્ષોમાં ચુંટાયેલા સભ્યો અને હોદ્દેદારો એ પ્રજા માટે વોર્ડના વિકાસમાં કેટલું ધોળકુ ધોળ્યુ છે તેનો હિસાબ હવે પ્રજા કરશે એ નક્કી છે. આ ઘટનાને જોતાં અન્ય વિસ્તારોમાં પણ પડઘા પડે તેવી હાલ સંભાવના સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *