દાહોદ: દેવગઢબારીયાની મધ્યમાં આવેલ માનસરોવરમાં યુવતીએ છલાંગ લગાવી જીવન ટુકાવ્યું..

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાંની દાહોદ

દાહોદ જિલ્લાના દેવગઢબારીયામાં આવેલ માનસરોવરને અડીને આવેલ પાતાળેસ્વર મંદિરની બાજુમાંથી તા.૨૦/૧/૨૦૨૧ ના બપોરે ભારતીબેન વિપુલભાઈ રાઠવા રહે.સાતકુંડા તાલુકો દેવગઢબારીયાની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર માનસરોવરમાં છલાંગ લગાવી મોતને વહાલું કર્યુ હતું. આ ઘટનાની જાણ થતા પોલીસતંત્ર દોડી જઈ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલ દેવગઢબારીયામાં મોકલી આપી હતી આ બનાવ અંગેની જાણ પરીવારજનોને મળતા જ પરીવારજનો દોડી આવ્યા હતા. તેઓનું કરૂણકલ્યાંત કરતાં વાતાવરણ પણ ગમગીન બની જતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ શનાબાઈ ભાવાભાઈ બારીયાને આ બનાવ અંગેની ફરીયાદ દેવગઢબારીયા પોલીસ સ્ટેશનમાં કરાવી હતી નાયબ પોલીસ અધિકક્ષક કે.એમ.દેસાઈએ આ બનાવ અંગે વધું તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *