રાજપીપળા વાસીઓમાં આનંદની લહેર, કરજણનું ફિલ્ટર પાણી હવે શહેરીજનોને ફરી મળશે

Latest Narmada

રીપોર્ટર: અંકુર ઋષિ રાજપીપળા

રાજપીપળા શહેર વાસીઓને હવે આવનારા દિવસમાં કરજણ યોજનાનું ફિલ્ટર પાણી મળશે, છેલ્લા ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ આવનારા દિવસોમાં ફરી ચાલુ થશે.નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે મધ્યસ્થતા કરતા છેલ્લા ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા તંત્રએ કામગીરી હાથ ધરી છે.

રાજપીપળા શહેરવાસીઓને ફિલ્ટર યુક્ત પાણી મળી રહે એ માટે વર્ષો પહેલા કરજણ ડેમ આધારિત કરોડો રૂપિયાના ખર્ચે વૉટર ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું.થોડોક સમય સુધી એ પ્લાન્ટ ચાલ્યો પછી કોઈક કારણોસર એ પ્લાન્ટ બંધ થઈ ગયો.હાલ સરકારે “નલ સે જળ” યોજના અંતર્ગત લોકોના ઘરે ઘરે પાણી મળી રહે એવુ આયોજન કર્યું છે.ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા નર્મદા જિલ્લાના નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે મધ્યસ્થી કરી નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને રાજપીપળા પાલિકા CO સાથે બેઠક કરી, આવનારા દિવસોમાં બંધ પ્લાન્ટ ફરી કાર્યરત થશે અને કરજણ ડેમનું ફિલ્ટર પાણી રાજપીપળા શહેરીજનોને મળતું થશે.

લોકોની લાગણી પણ એવી હતી કે કરોડો રૂપિયા વેડફાય નહિ અને લોકોને ફિલ્ટર યુક્ત પાણી મળી રહે.કરજણના અધિકારીઓએ એમ જણાવ્યું હતું કે વૉટર ફિલ્ટર પ્લાન્ટમાં થોડીક ખામી છે એ રીપેર કરી બંધ પ્લાન્ટ ફરી ચાલુ કરવામાં આવશે અને રાજપીપળા શહેરીજનોને કરજણનું ફિલ્ટર યુક્ત પાણી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *