નર્મદા :પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવ દ્વારા કરાયું સી-પ્લેનની સુરક્ષાનું નિરીક્ષણ.

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

પ્રતિનિધિ પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમદાવાદથી સી-પ્લેન દ્વારા જવાના છે. આ સી-પ્લેનનો હાલમાં કેવડીયા -અમદાવાદ-કેવડીયા વચ્ચે ટ્રાયલ રન ચાલી રહ્યો છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સી-પ્લેનની મુલાકાત લઈ તેની સુરક્ષાની ચકાસણી કરી હતી. તેની સાથે તેમણે સી-પ્લેનની સુરક્ષા માટે જવાનોને પણ ગોઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા અમદાવાદ-કેવડીયા-અમદાવાદ વચ્ચે તેના ટ્રાયલ રન થવાના છે. જો કે આ સી-પ્લેનની ટિકિટ અમદાવાદ-દિલ્હીના ભાડાં કરતાં પણ વધારે મોંઘી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *