રાજપીપળા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓની ૧૬ SC કન્યાઓને અનાજ કીટનું વિતરણ કરાયું.

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા સરકાર દ્વારા સરકારી શાળાઓ માં ST કન્યાઓને અનાજમાં ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ SC કન્યાઓ પણ જરૂરિયાતમંદ હોવા છતાં તેમને આ લાભ મળતો ન હોય એ બાબત રાજપીપળાની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ધ્યાન પર આવતા “અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન” દ્વારા આ જરૂરી કાર્યની આજથી શુભ શરૂઆત કરાઈ છે. જેમાં પ્રાયોગિક ધોરણે હાલ વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ આગળ જતાં હજુ વધુ લાભો આ કન્યાઓ ને મળે તેવા આશય સાથે અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા આજે શરૂઆત કરવામાં આવી જેમાં સંસ્થાના આદ્યસ્થાપક કિરીટકુમાર સોની તેમજ હસુમતીબેન સોની, કલ્પેશભાઈ મહાજન, અંકુર ઋષિ, કમલેશ ચૌહાણ, કલ્પેશ ચૌહાણ, કલમભાઈ વસાવા હાજર રહ્યા હતા. શરૂઆતના પ્રથમ દિવસે ઘઉં,ચોખા ખાંડ,તુવેર દાળ અને તેલની એક કીટ બનાવી આ કીટ કુલ ૧૬ કન્યાઓને વિતરણ કરવામાં આવી હતી. આગળ જતાં જેમ વધુ દાતાઓ મળતા જશે તેમ વધુ કન્યાઓને આ કીટનો લાભ આપવામાં આવશે તેમ સંસ્થા દ્વારા જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *