કેવડિયા પાસે નવનિર્મિત ગોરા પુલ લાઇટિંગ કરી સજાવવામાં આવ્યો.

Narmada
બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા

કેવડિયા ખાતે આગામી 31 મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે. જે અનુસંધાને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. વડાપ્રધાન કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ આકર્ષણોનુ લોકાર્પણ કરનાર છે. ત્યારે નવનિર્મિત ગોરા પુલ ને લાઇટિંગ કરી સજાવવામાં આવ્યો છે. ગોરા થી કેવડીયાને જોડતો જૂનો ડુબા ડૂબ પુલ વચ્ચે થી તોડી નાખવામાં આવ્યો છે. કેમ કે કેવડિયા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લગભગ 6 કી.મી સુધી પ્રવાસીઓ માટે ક્રુઝ બોટ દ્વારા જળ માર્ગે સફરનું આયોજન પણ કરાયું છે. ત્યારે તમામ વિસ્તાર ને સજાવવામાં આવશે. હાલ નવનિર્મિત ગોરા પુલ ને લાઇટિંગ કરી આકર્ષિત ડિઝાઇનમાં સજાવાયો છે. જે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *