નર્મદા: કેવડીયા કોલોની SRP ગ્રુપમાં એક સાથે ૦૯ કોરોનાના કેસ મળી શુક્રવારે નર્મદા જિલ્લામાં ૧૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

Corona Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં શુક્રવારે નવા ૧૫ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં ૦૯ દર્દીઓ તો કેવડિયા કોલોની SRP બટાલીયન ના જવાનો જ છે.

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે નવા ૧૫ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર સોસા.-૦૧,નાંદોદ તાલુકાના લાછરસમાં-૦૧,ગરુડેશ્વર ના કેવડિયા કોલોની એસઆરપી બટાલીયન માં- ૦૯ આમદલા માં-૦૧,લિમડીમાં-૦૧ જ્યારે તિલકવાડા-૦૨ મળી નર્મદા જિલ્લામાં કુલ ૧૫ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૨૫ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૪૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લા માં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૧૧૦ પર પહોચ્યો છે.આજે વધુ ૫૫૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *