અમરેલી જિલ્લાના બાબરામાં આવેલ દુકાનો કલેક્ટર સાહેબ અને પ્રાંત અધિકારીના હુકમ મુજબ ખોલવા સૂચના આપવામાં આવી

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ

સમગ્ર દેશ કોરોના સામે જઝુંબી રહ્યો છે. ત્યારે ગુજરાત માં ઝોમ પ્રમાણે વહેંચવા માં આવેલ છે. ગુજરાત મા જે જિલ્લાઓ માં વધારે કેસો છે અને દિવસે ને દિવસે કેસોમા વધારો થઇ રહ્યો છે તે જિલ્લા ને રેડ ઝોનમા સમાવેશ કરવામાં આવેલ છે તેમજ જે જિલ્લાઓ માં કેસો તો છે પણ કેસો મા વધારો નથી થતો અને રીકવરી થય રહ્યા છે તે જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવેલ છે અને જે જિલ્લાઓ મા હજુ સુધી કોરોના નો એક પણ કેસ પોઝીટીવ નથી આવ્યો તેને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને ગ્રીન ઝોનમાં અમુક છુંટછાટ આપવામાં આવેલ છે.

ત્યારે ગુજરાત માં હાલ અમરેલી જિલ્લા હજુ સુધી એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી ત્યારે અમરેલી કલેક્ટર સાહેબ દ્રારા જિલ્લામાં અમુક ધંધાઓને છુંટ આપવામાં આવેલ છે. ત્યારે બાબરામાં આવેલ મુખ્ય બજારો ખુબજ સાકડી હોવાથી બાબરા શહેરમાં આવેલ મુખ્ય બજારો તેમજ હાઈવે ઉપર આવેલ ધંધા રોજગાર દુકાનો ને જિલ્લા કલેકટર સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબના હુકમનામા મુજબ ડાબી અને જમણી બાજુની દુકાનદારોએ નિયમ અને સમય મુજબ દુકાનો ખોલવાની સૂચનાઓ બાબરા મામલતદાર સાહેબશ્રી બગસરિયા, નાયબ મામલતદાર સાહેબશ્રી અશોકભાઈ મકવાણા સાહેબ, પી.આઈ. શ્રી વાઘેલા સાહેબ, પી.એસ.આઈ. શ્રી વિ.વિ.પંડ્યા સાહેબ, ચીફ ઓફિસર શ્રી તેમજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્રારા દુકાનદારોને આપવામાં આવેલ છે. તેમજ નિયમ નું યોગ્ય પાલન કરવા માટે પણ ખાસ સૂચના આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *