નર્મદા: રાજપીપળાની ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ખાતે રક્તદાન શિબીર યોજાયો: ૫૦ થી વધુ શિક્ષકોએ રક્તદાન કર્યું.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપલા કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ લોકોને બ્લડ મળી રહે તે હેતુસર શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રાજપીપલાની ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ખાતે સ્વામી નારાયણ ગુરૂકુળના સિધ્ધેશ્વર સ્વામીજી, જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન એન.ડી.મહિડા અને ઉપપ્રમુખ ડૉ. દર્શનાબેન દેશમુખ, જન સેવા કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપ સહિત જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના શિક્ષક કર્મીઓની ઉપસ્થિતિમાં “રકતદાન શિબિર” યોજાયો હતો.

રાજપીપળાના સ્વામી નારાયણ ગુરૂકુળના સિધ્ધેશ્વર સ્વામીજીએ પ્રસંગોચિત ઉદબોધનમાં કહ્યું કે, શિક્ષણ વિભાગ અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. તેમાં આપણે સહુ સહભાગી બનીએ. આપણે અનેક રીતે દાન કરીએ છીએ પરંતુ સૌથી શ્રેષ્ઠ દાન એ રકતદાન છે એટલે જ કહેવાયું છે “રક્તદાન એ મહદાન છે” તો તેમાં સહભાગી બનવાની સાથોસાથ બ્લડ ડોનરોને શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીએ શુભેચ્છા અને આશિર્વશન આપ્યા હતા.

રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવના પ્રેરક સૂચનથી રકતદાન શિબિરનું આયોજન કરાયું છે, જેમાં અમે સહુ પ્રથમ શિક્ષકોનો સંપર્ક કર્યો અને તેના સહકાર થકી આજે ૫૦ થી વધુના રજીસ્ટ્રેશન કરાયાં છે. તેમના સહયોગ થકી આ રક્તદાન શિબિર સફળ અને ઉપયોગી બની રહેશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, રકતદાન એ મહાદાન અને શ્રેષ્ઠ દાન છે તો દરેકે રકતદાન કરવું જોઇએ. સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્રારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ૯૩૦ યુનિટ જેટલું રક્ત એકત્ર થયેલ છે. સમાજ સેવા માટે કંઇક કરવું હોય તો માણસે સ્વાર્થ વૃત્તિ ન કરતાં પરમાર્થ વૃત્તિને વિકસાવીને બીજાની સેવા માટે બીજાના ઉપયોગ માટે કેવી રીતે જીવી શકાય તેવા હેતુ થકી શિક્ષકો દ્વારા રકતદાન કરાયું છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઇ મકવાણાએ જણાવ્યું હતુ.

નાંદોદ તાલુકાના લીમટવાડાના CRC કો-ઓર્ડીનેટર અને રક્તદાતા વાસુદેવભાઇ રાઠવાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે, અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેલા જરૂરીયાતમંદ લોકોને આ રકતદાન ખૂબ જ ઉપયોગી બની રહે છે. આજે અમે સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું છે. જેનાથી અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવવાની સાથોસાથ દરેક લોકોને રક્તદાન કરવા ગુરૂજનો તરફથી પ્રેરણા પુરી પડાઇ છે.

આ પ્રસંગે જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ૫૦ થી વધુ શિક્ષકોએ રક્તદાન શિબીરમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *