અંબાજી મંદિર માં દર્શનની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

Ambaji

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર

બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના જી.આઈ.એસ.એફ. જવાનો કોઇ જાત નું નિયમ નું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યા. નિયમનું પાલન કરાવનાર નિયમ ને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંધન કરતા હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી મંદિર માં દર્શન પંથ ની લાઈન માં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી.તેમજ એક બાજુ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમ છતાં અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકાર ના નિયમો નું પાલન નથી કરવાતા.તેથી અંબાજી મંદિર દર્શન પંથ ની લાઈન માં સરકારી નિયમોનું ઉલ્લંધન થાય છે. અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકારી નિયમો નું પાલન નહિ કરાવતા,મંદિર માં ભારે ભીડ જોવા મળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *