ઠાસરા ખાતે ઇ-ગ્રામ વી સી ઇ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Kheda
રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા

ખેડા જિલ્લાના ઠાસરા ખાતે આજ રોજ ઇ-ગ્રામ વી સી ઈ દ્વારા મામલતદારને તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા કામગીરીનો બહિષ્કાર કરવા બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ વી સી ઇ એ છેલ્લા ૧૪ વર્ષ થી વગર પગારે કમિશન પર કામ કરે છે. સરકાર દ્વારા કોઈ પણ લાભ કે પગાર ધોરણ બાબતે વિચારણા ના કરતા વી સી ઈ મંડળ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી. કોરોના મહામારી ચાલતી હોવાથી વીમા કવચ નો લાભ મળે, કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરે, અગાઉનું પી.એમ.કિસાન,કૃષિ સહાય, જન્મ-મરણ,વિ.એન્ટ્રી નું ચુકવણું તાત્કાલિક થાય. તેવી માંગણીઓ સાથે ઠાસરા ઇ-ગ્રામ વીસીઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *