અમદાવાદ: માંડલ તાલુકા વી.સી.ઈ મંડળ દ્વારા ટી.ડી.ઓને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

ઈ-ગ્રામ યોજના અંતર્ગત વી.સી.ઈ મંડળે વિવિધ પ્રશ્નોને લઈને આપ્યું આવેદનપત્ર…

રાજ્ય સરકારની ઈ-ગ્રામ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતમાં એક કોમ્પ્યુટર સાહસિક કર્મચારીની નિમણુંક કરવામાં આવતી હોય છે અને જેને વી.સી.ઈ પણ કહેવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે, ગામડાઓમાંથી સ્થાનિક પ્રજાને નાના નાના કામોને લઈને તાલુકા મથક પર ન આવવું પડે અને પોતાની ગ્રામપંચાયતમાં જ તેમનું કામ સરળતાથી પૂર્ણ થતું હોય છે. ગ્રામપંચાયતમાં ઓનલાઈન ઈ-ગ્રામ માધ્યમ દ્વારા ઓનલાઈન ૭/૧૨,૮-અ ની નકલો, આધાર કાર્ડ, ઓનલાઈન અરજી આવી સેવાઓ માટેનો મુખ્ય હેતુ છે. પરંતુ માંડલ તાલુકાના ઈ-ગ્રામ અંતર્ગત સેવા આપતાં કર્મચારીઓની માંગ એવી છે કે, ઈ-ગ્રામની પોલીસીમાં ફેરફાર કરી વી.સી.ઈ ને જોબ સિક્યોરિટી મળે, સરકારી કર્મચારીને મળતાં તમામ લાભો વી.સી.ઈ ને મળવા જોઈએ તેમજ કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ અને કાયમી કરવા જોઈએ આ ઈગ્રામ યોજનામાં કર્મચારીઓને વર્ગ-૩માં સમાવેશ કરવા અને નિયમિત પગાર મળે તેમજ અન્ય વિવિધ માંગ ઉઠી હતી. આમ માંડલ તાલુકાના વી.સી.ઈ મંડળના વિવિધ પ્રશ્નોને લઈને તા.૩૦ના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર વી.સી.ઈ મંડળના પ્રમુખ દલસુખભાઈ જાદવ, પરેશભાઈ ઠાકોર,સંજયભાઈ, કાળુજી પોપટજી, સોહેલ મુસ્તુફા, અલ્પેશ ગલાભાઈ,ભાવિક પટેલ તથા સહદેવ દેસાઈ સહિતના તમામ વી.સી.ઈ કર્મચારી દ્વારા આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *