જૂનાગઢ: માંગરોળ ગોરેજ ગામે પી.જી.વી.સી.એલ દ્વારા ૧૫ દિવસ સુધી ફોલ્ટ રીપેરના થતા ગ્રામજનોમાં ભારે રોષ..

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરી સામે ગોરેજ ગામના ખેડુતોનો આક્રોશ..૧૫ દિવસ સુધી ટીસી બદલવા નહી આવતાં ગોરેજ ગામના ખેડુતો પી જી વી સી એલ કચેરીએ પહોચ્યા. ખેડુતોના જણાવાયા મુજબ પંદર દિવસ પહેલાં ફોલ્ટ લખાવ્યો હોવાછતાંપણ ફોલ્ટ રીપેરીંગ કરવામાં નથી આવતો ખેડુતોના ફોલ્ટ પંદર પંદર દિવસ સુધી રીપેરીંગ નહી થતા હોવાનું ખેડુતો જણાવી રહયા છે. ખેડુતોના જણાવ્યા મુજબ ફોલ્ટ રીપેર નહી કરવા આવતા ઘર મીટરનો છેડો ડાયરેક નાખી વીજ ચોરી કરાયાનો પી.જી.વી.સી.એલ દ્વારા આક્ષેપ કરી ખેડુતોને ૨૨ હજારના બીલો આપ્યાં. ખેડુતોને માંગરોળ પી.જી.વી.સી.એલ ને રજુઆતો કરી તો ઇજનેર દ્વારા તપાસ કરવાનું આશ્વાસન આપ્યું. માંગરોળ પી.જી.વી.સી.એલ દ્વારા ૧૫ દિવસો સુધી ફોલ્ટ રીપેર કરવામાં નહી આવતા હોવાનો ખેડુતોએ આક્ષેપો કર્યા હતા આખરે લાઇટ આપવામાં સુધારો નહી થાઇ તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉછરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *