નર્મદા: ભદામની કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોની બીજા દિવસે પણ કોઈ ભાળ મળી નથી: બાળકો ને શોધવા બોટ મંગાવાઈ..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

બોટ અને પાલિકા ના ફાયટરો કરજણ નદી માં ડૂબેલા બે બાળકો ની શોધખોળ બાદ પણ ભાળ ન મળતા પરિવારમાં ચિંતા

જો મંગળવારે કોઈ ભાળ ન મળે તો ત્રીજા દિવસે આપોઆપ મૃતદેહો બહાર આવશે તેવી અટકળો

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના ભદામ ગામ ની કરજણ નદી માં સોમવારે નાહવા પડેલા પાંચ બાળકો પૈકી 2 બાળકો પાણીમાં ગરકાવ થયા બાદ તેમની શોધખોળ કરાઈ હતી. જોકે સોમવારે સાંજે અંધારું થઈ જતા ફાયર ટિમ પરત ફર્યા બાદ મંગળવારે સવાર થી પાલિકા ની ફાયર ટિમેં બોટ મારફતે પણ બે બાળકો ની શોધખોળ શરૂ કરી હતી છતાં સાંજ સુધી કોઈજ પત્તો લાગ્યો ન હોય બાળકો ના પરિવાર માં ચિંતા નું મોજું ફરી વળ્યું હતું.ત્યારે જો આજે બાળકો ની બીજા દિવસે ભાળ ન મળે તો ત્રીજા દિવસે એટલેકે બુધવારે પાણી માંથી આપોઆપ મૃતદેહ બહાર આવી જશે તેવી અટકળો પણ સ્થાનિકો માં સંભળાઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *