જૂનાગઢ: માંગરોળ ખાતે આયુર્વેદ વિભાગ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા વિતરણ કરવામાં આવી..

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના લીંમડાચોક ખાતે આજ રોજ આયુર્વેદ અને હોમીઓપેથી દ્વાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી અંતર્ગત શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ શક્તિ વર્ધક દવા આરસેનિક આલ્બમ ૩૦ દવાનું વીતરણ જુનાગઢ આયુર્વેદ શાખા અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમેં કરવામાં આવ્યું હતું. આ વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો ડાભી એ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં મોટી સઁખ્યામાં લોકોએ વિનામૂલ્યે દવા વિતરણનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *