નર્મદા: નાંદોદ તાલુકાના ભચરવાડા ગામના ખેતરમાં અસ્થીર મગજના યુવાને ઝાડ ની ડાળી પર ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા માં આવેલા ભચરવાડા ગામમાં એક અસ્થિર મગજના યુવાને ઝાડ પર ફાંસો ખાતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભચરવાડા ના ઉજાણીફળીયા માં રહેતા દિલીપ મણીલાલ વસાવા(ઉ.વ.૩૩) છેલ્લા આઠેક મહીનાથી અસ્થીર મગજના હોઇ આમ તેમ રખડતુ જીવન જીવતો હોઇ તેણે પોતાના ઘરથી નજીક આવેલા જીતુભાઇ દાદુભાઇ વસાવાના ખેતર ના સેઢે આવેલ રાયણીના ઝાડની ડાળી સાથે કાપડની ઓઢણી બાંધી પોતે કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ જઇ મોત ને ભેટ્યો હોય એ બાબતે ગામના મણીલાલ સોનજીભાઇ વસાવા એ રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી બાદ અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *