નર્મદા: સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે મા નર્મદાના જળનું પૂજન- અર્ચન કરાયું.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે જળ જરૂરી છે. “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી સરદાર સરોવર ડેમ ખાતે મા નર્મદા નીરના ઇ-વધામણાં કરતાં જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦ મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે પુન: સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ ભરાયો છે અને આજે મા નર્મદાના પવિત્ર નીરના ઇ-વધામણાં કર્યા છે. આવનાર બે વર્ષ સુધી મા નર્મદાનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારીને વિકાસની નવી દિશા કંડારશે. “જળ વિના જીવન નહી” અને “પાણી વિના વિકાસ નહી”. ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે અને મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને મુખ્યમંત્રીએ ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રી યોગેશભાઇ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્ચાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. નર્મદા બંધ સતત બીજા વર્ષે પૂર્ણ ભરાયો એનો ખૂબ આનંદ છે. નર્મદા બંધનું કામ પૂરું કરાવી તેનો લાભ સુલભ બનાવનારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે નર્મદા વિકાસ મંત્રીના મારા કાર્યકાળ દરમિયાન નર્મદા બંધ સતત બીજા વર્ષે પુર્ણ ભરાયો એનો ખૂબ આનંદ છે.તેના લીધે ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઇ નો લાભ મળશે. તેમની ખેતીની આવકમાં વધારો થશે. ૧૬ જિલ્લાના જે તળાવો ખાલી રહ્યા છે એને પણ નર્મદાના પાણી થી ભરી શકાશે.

માનનીય મુખ્યમંત્રીએ સતત ત્રણ મહિના ચિંતા સેવી અને સતત માર્ગદર્શન આપ્યું તેના પરિણામે આજે સતત બીજા વર્ષે નર્મદા બંધ પૂર્ણ સ્તર સુધી ભરી શકાયો છે એવી લાગણી વ્યક્ત કરતા સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે ૩૪ હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી ૧૭ હજાર mcm જેટલી પાણીની આવક થઇ. તેમ છતાં, મુખ્યમંત્રીશ્રીના સતત માર્ગદર્શનથી સરોવર વધુ એકવાર પૂર્ણ ક્ષમતા સુધી ભરી શકાયો. હાલમાં ૫૮૭ કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે. ૧૦ લાખથી વધુ ખેડૂતોને અને ૧૪ લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક ૭૫૦ કિમી દૂરના વિસ્તારો સુધી પાણીનો લાભ આપી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *