નર્મદા જિલ્લામાં આજે વધુ ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જિલ્લામાં બુધવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપ ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળામાં સોનિવાડ ૦૧ રાજપૂત ફળિયા ૦૧ નાંદોદ તાલુકાના કરાઠા ૦૧ અમલેથા ૦૨ જીતનગર હેડક્વાર્ટર ૦૧ ભદામ ૦૧ ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ૦૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૫ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૮ દર્દીઓ દાખલ છે. આજે ૦૭ દર્દી સજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૬૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે.આજદિન સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૨૬ પર પહોચ્યો છે.આજે વધુ ૩૩૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *