નર્મદા પોલિસે રાજપીપળા,ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં જાહેરનામનો ભંગ કરતા ૯ વિરુદ્ધ પગલાં લીધા.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું હોય જાહેરનામું લાગુ હોવા છતાં કાયદાનો અમલ નહિ કરતા લોકો ઉપર નર્મદા પોલીસ રોજ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરે છે છતાં અમુક લોકો કાયદાની એસીતેસી કરી પોતાની મનમાની કરતા જોવા મળતા હોય પોલીસ આવા લોકો સામે કાયદેસર પગલાં લે છે જેમાં ગતરોજ રાજપીપળા,ગરુડેશ્વર અને તિલકવાડા પોલીસે જાહેરનામનો ભંગ કરતા ૯ વિરુદ્ધ પગલાં લીધા હતા.

પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ગતરોજ રાજપીપળા ના માછીવાડ ચાર રસ્તા પાસે પ્રકાશ પરાગ ભાઈ વસાવા,ગૌરવ શામળભાઈ વસાવા,અલકેશ જયેશ ભાઇ વસાવા ત્રણેય રહે.બોરીદ્રા, સ્ટેશન ફળિયુ.તા.નાદોદ જી.નર્મદા ને બાઈક ઉપર ત્રણ સવારી જતા ઝડપી જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો હતો.

બીજી ઘટનામાં ગરુડેશ્વર પોલીસે ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ ત્રણ રસ્તા પાસે જાહેરનામા નો ભંગ કરી મો.સા.ઉપર ત્રણ સવારી જતા મહેશ રતાભાઈ નાઇ, ટીનાભાઈ ખાનાભાઈ નાઇ, શ્યામ વશરામભાઈ નાઇ ત્રણેય રહે રહે.ગરુડેશ્વર સામે પણ કાયદેસર કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *