નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા જોન પ્રમુખ નિરંજનભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ જેમાં તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ તડવી સાગબારા તાલુકા પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા તેમજ સાગબારા તાલુકાના સરપંચ પરિષદ ગુજરાત ના સાગબારા તાલુકાના તમામ હોદ્દેદાર સરપંચ શ્રી ઓ ની આગેવાનીમાં સાગબારા તાલુકાના ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અંગેની અને માળખાકીય સુવિધાઓની તેમજ પડતી મુશ્કેલીઓની ચર્ચાઓ કરવામાં આવી અને આરોગ્ય નો ખૂબ જ મોટો પ્રશ્ન છે એ ગંભીર પ્રશ્ન બાબતે તમામ સરપંચશ્રીઓ ના પ્રશ્નો સાંભળી અને આરોગ્યલક્ષી પ્રશ્નો નું નિરાકરણ કઈ રીતે લાવવું એ અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ અન્ય વિકાસને લગતી પ્રજાના હિત માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *