અમદાવાદ: સાણંદના કુંવાર ગામના આર્મી જવાન નિવૃત થતા ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

સાણંદ તાલુકાના કુંવાર ગામના વતની સોલંકી દિનેશભાઈ રામાભાઈ છેલ્લા ૨૧ વર્ષથી ઇન્ડીયન આર્મીમાં દેશની સીમાએ ફરજ બજાવી છે. આર્મી જવાન દિનેશભાઈ રામાભાઈ સોલંકી નિવૃત થતા આર્મી જવાન દિનેશભાઈ પોતાના માદરે વતન કુંવાર ગામે ૩ સપ્ટેમ્બરે આવી પહોચ્યા હતા. ગ્રામજનોએ નિવૃત આર્મી જવાન દિનેશભાઈ રામાભાઈ સોલંકીને કુંવાર ગામના પ્રવેશદ્વારા થી ફૂલહાર પહેરાવી વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામની નાની બાળાઓએ આર્મી જવાન દિનેશભાઈનું સામૈયું કર્યું હતું. આર્મી જવાન ગામમાં પહોચતાની સાથે જ ભારત માતાકી જય, જય જવાન ના નારાથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. અને દેશભક્તિનું એક અનોખું વાતાવરણ સર્જાયું હતું. ગ્રામજનોએ આર્મી જવાન દિનેશભાઈ સોલંકીને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ મીનાક્ષીબેન બાબુભાઈ પરમાર, ગામ પંચાયતના સભ્યો, ગામ આગેવાનો સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *