જૂનાગઢ: માંગરોળ ખાતે કોંગ્રેસની વિધાર્થી અને એન.એસ.યુ.આઈની કારોબારી મિટિંગ મળી : તાલુકા અને શહેર પ્રમુખની નિમણુંક કરવામાં આવી.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન એસ યુ આઈ ની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ યુગ પુરોહિત ની અધ્યક્ષતામાં મળી હતી. માંગરોળ ખાતે મળેલી આ બેઠકમાં વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને લડત આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. એન.એસ.યુ.આઈ ના સંગઠનને વધુ મજબૂત કરી વિધાર્થીઓ ને મોટી સંખ્યામાં જોડવા માટે ચર્ચા કરવામાં આવી હતી. માંગરોળ તાલુકાએન.એસ.યુ.આઈ શહેર પ્રમુખ તરીકે યસ ગોહેલ તેમજ તાલુકા ઉપપ્રમુખ અબ્દુલ રઝાકની નિમણુંક કરવામાં આવી હતી. આ મીટીંગમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હારુન જેઠવા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *