નર્મદા: કેવડિયામાં કોરોના ગ્રહણ એક સાથે ૧૨ કેસ: નર્મદા જિલ્લામાં ૨૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શુક્રવારે નવા ૨૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો.લાઈન ૦૧, રાજેન્દ્રનગર સોસા. ૦૧, પાઈગા પો. લાઈન ૦૧ ,નાંદોદના કરાઠા ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૧૨, ડેડીયાપાડા માં કુમબાર ૦૧, નાના સૂકા અંબા ૦૧, ડેડીયાપાડા પો.લાઈન ૦૧ અને તિલકવાળા ઉચાદ ૦૧, સાથે નર્મદા જિલ્લામાં કુલ ૨૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દીઓ દાખલ છે. આજે સજા થયેલ ૦૭ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૩૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૧૦ પર પહોચ્યો છે.આજે વધુ ૪૨૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *