નર્મદા: લાયન્સ ગ્રુપ નર્મદા ચુડેશ્વર તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારના લોકોની વ્હારે આવ્યું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમનું પાણી છોડતા ડેમથી નીચાણ વાળા વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ડેમનું પાણી ફરીવળતા લોકો પાયમાલ બન્યા હોય કોરોના મહામારીના સમયમાં જ બીજી આપત્તિનો સામનો કરવાની નોબત આવી પડી છે, ત્યારે “લાયન્સ ગ્રુપ” નર્મદા આ આદિવાસી પરિવારની મદદે આગળ આવ્યું છે, જેમાં નદી કાંઠા વિસ્તારના ગામો પૈકી ગભાણા, કેવડિયા, વસંતપુરા,.પીપરીયા, ઈન્દ્રવર્ણા, જેવા ગરુડેશ્વર તાલુકાના ગામોમાં પાણી ફરી વળ્યું હતું, જેની જાણ થતાં લાયન્સ ગ્રુપના યુવાનો આ ગામડાઓમાં મદદ માટે દોડી ગયા હતા, ત્યારબાદ “લાયન્સ ગ્રુપ” ના યુવાનો દ્વારા ઘરવખરી,સાધન સામગ્રી અને લોકોને પણ ઘર માંથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *