નર્મદા: આજે બપોરે ૩:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨.૧૪ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૨૬ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

ડેમની જળસપાટી બપોરે ૪:૦૦ કલાકે ૧૩૫.૩૨ મીટરે

ઇન્દીરા સાગર ડેમ ખાતેથી આજે તા.૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે ૧.૪૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઓમકારેશ્વર ડેમ ખાતેથી આજે બપોરે ૩:૦૦ કલાકે ૨.૧૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે આજે બપોરે ૪:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે જળસપાટી ૧૩૫.૩૨ મીટર નોંધાવા પામી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજામાંથી આજે ૧.૩૫ લાખ ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આ ઉપરાંત રિવર બેડ પાવર હાઉસ ખાતે ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થયા બાદ ૪૩ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે અને કેનાલ હેડ પાવર હાઉસમા પણ ૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે મુખ્ય કેનાલ તરફ ૧૮ હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. આમ, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે બપોરે ૩:૦૦ કલાકે આઉટફ્લો ૨.૨૬ લાખ ક્યુસેક નોંધાયો હોવાની જાણકારી સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજજર તરફથી પ્રાપ્ત થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *