નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ પોઝિટિવ કેસનો આંક ૬૯૦ પર પોહોંચ્યો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં ગુરુવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદના ભચરવાળા ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૧ , ડેડીયાપાડા માં ૦૪ અને તિલકવાળા નલગામ ૦૨, વજેરિયા ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૭ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૩ દર્દીઓ દાખલ છે. આજે સજા થયેલ ૦૮ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૩૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૯૦ પર પહોચ્યો છે.આજે વધુ ૪૪૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *