નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પોહોચ્યો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના આદિત્ય માં ૦૧, નાંદોદના ઓરી ૦૧ , કુમસગામ ૦૧ અને ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૨ , ઝરીયા ૦૧ તિલકવાળા નલગામ ૦૧ અને ડેડીયાપાડા ના ગાજરગોટા ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૦ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૧ દર્દીઓ દાખલ છે. આજે સજા થયેલ ૩૧ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૭૧ પર પહોચ્યો છે.આજે વધુ ૩૨૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *