રાજકોટ: ધોરાજી તાલુકાના ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસમાં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં.

Latest Rajkot
રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠા નજીક આવેલ આઠ સો થી એક હજાર વીઘા જેટલી જમીન માં વાવેતર વધું પડતાં વરસાદ ને કારણે નુકશાન થયું અને ખેડૂતો વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી એ જે ફસલ વિમા યોજના કરી હતી અને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ જે ફેરફારો કરી યોજના બનાવી તેનાં થી લોકો નારાજ છે.

ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠે આવેલ સુપેડી નાં લગભગ આઠ થી એક હજાર વીઘા માં વાવેલ મગફળી કપાસ તથા અન્ય પાક નુ વાવેતરો કર્યા હતાં જેમાં વધું પડતાં વરસાદ ને કારણે ભારે નુકશાન થયું છે અને ઉભો પાક નિષ્ફળ થયો છે ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસ માં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં હોય જેથી આવાં પાકો ને કાંપી ને ફેંકી દેવા નો વારો આવ્યો છે ધોરાજી નાં સુપેડી ગામે રહેતા અ સંખ્યા ખેડૂતો નાં પેટ પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આખાં વર્ષ ની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો પાસે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને નદી કાંઠે આવેલ ખેતરોમાં હજું પણ પાણી ભરાયા હતા અને ખેડૂતો ને પોતાનો ખેતરોમાં જવું પણ મુશ્કેલી પડી રહી છે અને પાકો ની માવજત કેમ કરવી તે પણ એક પ્રશ્ન છે તથા વડાપ્રધાન એવાં નરેન્દ્ર મોદી એ જે ફસલ વિમા યોજના કરી હતી અને મુખ્ય મંત્રી દ્વારા ફેરફાર કરી છે તેથી ખેડૂતો ને કશું મળવાનું નથી અને આ મુખ્ય મંત્રી ની જાહેર કરેલી યોજના લીલી પોપ સમાન છે એવું ખેડૂતો જણાવી રહયા છે અને મુખ્ય મંત્રી તાત્કાલિક ધોરણે ખેડૂતો ને પાકો માં ભારે નુકશાન થયું છે તેવું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *