દાહોદ જિલ્લાના પીપલોદ ગામે વેપારીનું કોરોના વાયરસ થયા બાદ મૃત્યુ થતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો.

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદ જિલ્લાના પીપલોદ ગામમાં બસ સ્ટેન્ડ પર નિધિ ઇલેક્ટ્રોનિક નામની દુકાન ના માલિક જયેશભાઈ જોશી જે ત્રણ દિવસ પહેલા અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં પોતાને તાવ માથું અને શરીરમાં દુખાવો થતો હોય સારવાર માટે દાખલ થયા હતા મોડી સાંજે તેનો મરણ થયો હતો અમદાવાદ ખાતે સારવાર દરમિયાન જયેશ જોષી ને કોરોના વાયરસની અસર વધારે હોવાના કારણે તેમનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે. જેનાથી પીપલોદ ગામના વેપારીઓ માં એક દુઃખ નો માહોલ સર્જાયો ત્યાર બાદ આજરોજ પીપલોદ ગામના વેપારી તથા ગામના આગેવાનો ને જયેશભાઈ જોશી ની દુકાન ની આગળ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરી બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *