ભાવનગરમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો ગતરોજ જિલ્લામાં ૬૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લામા ગતરોજ ૬૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨,૬૬૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૩૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના સોડવદરા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, ઘોઘા તાલુકાના સાણોદર ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, મહુવા તાલુકાના ધરાઈ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના દુધાળા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૫, સિહોર તાલુકાના અગિયાળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના સાથરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૪, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૯ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૬૬૯ કેસ પૈકી હાલ ૫૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨,૦૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *