નર્મદા જિલ્લામાં કોરોના કહેર વધ્યો: મંગળવારે ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૬૧૬ થયો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.

આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના છત્રવિલાસ-૦૨,આદિત્ય-૦૧ અને પંચવટી સોસા.૦૧ જ્યારે નાંદોદ તાલુકાના ધમણાચા ગામમાં- ૦૫,નિકોલી-૦૧ અને ધારીખેડા-૦૧,ગરુડેશ્વર ના કેવડિયા કોલોની-૦૧,તિલકવાડા-૦૧ તેમન સાગબારા ના સેલંબામાં-૦૧ કેસ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૪ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૩ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૭ દર્દીઓ દાખલ છે. આજે ૦૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૪૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૧૬ પર પહોચ્યો છે.આજે વધુ ૪૬૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *