ગીર સોમનાથ: સોળાજ મુકામે ધનવંતરી રથ દ્વારા લોકોને આપેલ પ્રાથમિક સારવાર..

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

હાલની કોરોના વાયરસની મહામારીમાં ગામડાના લોકો નું ચેક અપ થઇ શકે અને લોકોને આર્યુવેદીક સારવાર આપવાના હેતુસર ગુજરાત સરકાર તરફથી ધનવંતરી રથ ફરે છે. આજરોજ થરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આર.બી એસ.કે ની ટીમ ડો. ધર્મિષ્ઠાબેન કછોટ તથા ડો. અલ્પેશ ચાવડા સહિતની ટીમ દ્વારા સોળાજ મુકામે કેમ્પ રાખીને અન્ય રોગોની પણ સારવાર આપેલ અને કોરોના રોગના લક્ષણો વિષે લોકોને માહિતગાર કર્યા હતા અને આવા લક્ષણો દેખાય ત્યારે દેશી આયુર્વેદિક દ્વારા ની જાણકારી આપી હતી. આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે સોળાજ ના સરપંચ મનુભાઇ સભ્ય અરસીભાઇ સોલંકી તલાટી-કમ-મંત્રી સોલંકી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *