જૂનાગઢ: માંગરોળ તાલુકાના છ ગામો તાલુકા મથક થી થયા સંપર્ક વિહોણા: મામલતદારએ કામનાથ કોઝવેની લીધી મુલાકાત.

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જુનાગઢ જિલ્લાના માંગરોળ ની નોડી નદી ઓવરફલૉ થતા છ જેટલા ગામો તાલુકા મથક થી સંપર્ક વિહોણા થઇ થઈ ગયા છે. દર વર્ષે વરસાદ આવે અને નોડી નદી ઓવર ફલૉ થાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. અને માંગરોળ ના વીરપુર, લંબોરા, સકરણા, ચોટલી વીરડી સહિતના ગામના લોકોનો તાલુકામા આવવા માં તકલીફ સર્જાય છે. તેમજ માંગરોળ આવે ત્યારે નદીમાં પાણી આવે તો નદી કાંઠેજ સમય વિતાતવવો પડે છે. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર પુલ બનાવવાની માંગણી પણ કરવામાં આવી છે. આ કામનાથ કોઝવે ની આજ રોજ માંગરોળ મામલતદાર બેલડીયા એ મુલાકાત લીધી હતી અને અને પરિસ્થિતિમુ નિરીક્ષણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *