નર્મદા: નર્મદા કલેક્ટરના બંગલે રાત્રી ફરજ પુરી કરી પોતાના ઘરે પહોંચેલા રાજપીપળા પો.સ્ટે.ના કોન્સ્ટેબલનું હૃદયરોગના હુમલામા મોત.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

મરનાર અશોકભાઇ કાળાભાઇ વલવી કલેક્ટર ના બંગલે રાત્રી ફરજ પૂર્ણ કરી સવારે પોતાના ઘરે પહોંચતા છાતી માં દુખાવો થયા બાદ રાજપીપળા સિવિલમાં લાવ્યા પરંતુ સારવાર મળે એ પહેલાજ તેમનું મોત થયું. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર્મ હેડ કોન્સટેબલનું હૃદયરોગ ના હુમલામાં મોત થતા પોલીસ વિભાગ માં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પો.સ્ટે.માં આર્મ હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કાળા ભાઈ વલવી (૫૫)જીતગઢ ગામના નિશાળ ફળીયા માં રહેતા હતા,ગતરોજ તેમની ફરજ નર્મદા કલેક્ટર ના બંગલા પર હોય તે રાત્રી ફરજ પુરી કરી સવારે પોતાના ઘરે પહોંચતાજ અચાનક તેમને ગભરામણ થઈ ચક્કર આવ્યા બાદ છાતી માં દુખાવો થતા તેમના પરીવારજનો તાત્કાલીક ૧૦૮ એમ્બુલન્સમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કર્યા પરંતુ તેમને સારવાર મળે તે પહેલા ફરજ ઉપરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.આમ અચાનક નર્મદા પોલીસ ના એક કોન્સ્ટેબલ નું મૃત્યુ થતા પોલીસ વિભાગમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *