નર્મદા: નાંદોદના કરાઠા ગામે ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા માં હાઉસિંગ બોર્ડ ૧,રાજપૂત ફળિયું ૧, મોટા માલિવાડ ૧, કડીયાભૂત ૧, લક્ષ્મીનારાયણ મંદિર ૧ એમ કુલ ૫ કોરોના પોઝિટિવ નોંધાયા છે ઉપરાંત નાંદોદ તાલુકાના કરાઠા ગમે ૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે આમ જિલ્લામાં કુલ ૧૦ પોઝિટિવ દર્દી નોંધાયા છે રાજપીપળા કોવિલ હોસ્પિટલમાં હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૫ દર્દી દાખલ છે આજે ૧૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો ૪૭૭ એ પોહોચ્યો છે આજે વધુ ૨૮૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *