પંચમહાલ: ગોધરા ખાતે રૂ.૫ કરોડ ૬૨ લાખના ચેક કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે વિતરીત કરાયા.

Latest Panchmahal shera
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

રાજ્યની નગરપાલીકામાં અને મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન-નેતૃત્વમાં આજે વિકાસના કામો માટે રૂ.૧૦૬૫ કરોડની રકમના ચેક અર્પણ કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં પંચમહાલ જિલ્લાકક્ષાએ કલેકટર કચેરી ખાતે આ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણમંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય ગોધરા સી.કે.રાઉલજી, ધારાસભ્ય કાલોલ સુમનબેન ચૌહાણ,નગરપાલિકાઓના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એ. જે.શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ મ્યુ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીનું માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે ગોધરા ખાતે કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. ૫ કરોડ ૬૨ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાને રૂ. ૨.૫૦ કરોડ, હાલોલ નગરપાલિકાને રૂા ૧.૫૦ કરોડ, કાલોલ નગરપાલિકાને રૂ.૧.૧૨ કરોડ તેમજ શહેરા નગરપાલિકાને રૂા. ૫૦ લાખના ચેક મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા મંત્રીએ અધિકારીઓ-પદાધિકારીઓને વિકાસકામો માટે સમયસર મળતી આ પ્રકારની ગ્રાન્ટનો ઉપયોગ કરી નાગરિકોને માળખાકીય સવલતો પૂરા પાડવા સહિતના જનસુવિધાના કામો હાથ ધરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *