ગીર સોમનાથ: સોમનાથ મુખ્ય મંદિર સિવાયના અન્ય મંદિરો સાતમ – આઠમમાં બંધ રહેશે.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ભાલકા તીર્થ,ગીતામંદિર,લક્ષ્મીનારાયણ મંદિર,અને શ્રી રામ મંદિર બંધ રહેશે

સામનાથ ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, કોરોના વાયરસની મહામારીને લઇને તા. ૧૦ થી ૧૩ ઓગષ્ટ દરમ્યાન સાતમ આઠમના તહેવારોની રજાઑને કારણે દર્શનાર્થીઑની ભીડને ધ્યાનમાં રાખી સંક્રમણ ન ફેલાય એ માટે તકેદારીરૂપે ભાલકા તીર્થ, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણયાણ મંદિર, શ્રી રામ મંદિર દર્શનાર્ધીઑ માટે બંધ રાખવામાં આવશે ભાલકા તીર્થના દર્શન તેમજ કૃષ્ણ જન્મ ઉત્સવના દર્શન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, ટ્વીટ્ટર અને યુ-ટયુબ પરથી લાઇવ… દર્શન કરાવાશે. જ્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે. સોમનાથ દાદાના દર્શન માટે ટ્રસ્ટની વેબસાઇટ પરથી દર્શન સ્લોટ સમયનું બુકિંગ કરાવીને જ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *