દાહોદ: નિયંત્રિત વિસ્તારમાંથી બહાર આવનાર વેપારીઓની દૂકાનો સીલ

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા આજે વધુ ૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. દાહોદ નગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે નગરપાલિકા જનજાગૃતિ અભિયાન સાથે નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ કડક પગલાં લઇ રહી છે. દાહોદ નગરના સ્ટેશન વિસ્તારમાં સોપારી અને તમાકુના વેપારીની દુકાન શિવ સોપારી ઉપરાંત દાહોદની રતલામી સેવ ભંડારને પણ આજ રોજ સીલ મારી દેવાયું છે. આ બંને દુકાનોના માલિક નિયંત્રિત વિસ્તારના રહીશો હોય અને તેમણે દુકાન ખુલ્લી રાખી હોય ગુજરાત સરકારના અને દાહોદ જિલ્લાના કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ થતો હોય આ બંને દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોદી રોડ સ્થિત મોહનલાલ ચક્કીવાલા નામની દૂકાનને પણ નગરપાલિકાએ સરકારી સીલ સાથે તાળા મારી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *