બનાસકાંઠા: અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને લાખણીના લવાણામાં દિવાળી જેવો માહોલ.

Banaskantha
રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી

અયોધ્યામાં આજે ભગવાન શ્રીરામના મંદિરનુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ જેને લઇને બનાસકાંઠામાં પણ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે આજે અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગે રામજી મંદિરે મહા આરતી નુ આયોજન મહંત શ્રી કૌશલદાસ રામાનંદી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરપંચ શ્રી તથા ટીપી રાજપુત જિલ્લા ભાજપ મંત્રી તથા દિનેશભાઈ મિસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદ તથા રાજેંદ્ર ગીરી ગોસ્વામી શક્તિપીઠ ભાજપ તથા સાગર ગજ્જર યુવા ભાજપ લાખણી તથા રામજીભાઈ વાઘેલા ઉપસ્થિત રહી મહાઆરતી માં ભાગ લીધો હતો. ત્યાર બાદ લોકોએ ફટાકડા ફોડી જય શ્રી રામના નારા બોલાવી આનંદ વ્યક્ત કર્યો હતો.આજે વડાપ્રધાનના હસ્તે અયોધ્યામાં રામ મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવતા ધર્મપ્રેમી જનતા માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *